News of Monday, 11th November 2019
વડોદરાના આજવારોડ પર મિલકતોમાં કબ્જો મેળવવા માટે માથાભારે તત્વોનો આતંક: માલિકને માર મારી કબ્જો જમાવવાનો પ્રયાસ
વડોદરા: શહેરના આજવારોડ પર આવેલી ગાયકવાડ બંગલાવાળી મિલકતમાં પોતાનો કબ્જો બતાવવા માટે માથાભારે વ્યક્તિઓની ટોળકીએ મિલકતમાં પ્રવેશ કરી પોતાનો સામાન મૂકી દીધો હતો અને મિલકતના માલિકને માર માર્યો હતો. જે અંગે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, આજવારોડ પાણીની ટાંકી પાસે આવેલા ગાયકવાડ બંગલોમાં અમોલરાજ દિનકરરાવ ગાયકવાડ રહે છે. આ બંગલાની પાછળ એક ખુલ્લો પ્લોટ છે. જેમાં છેલ્લા બે મહિનાથી કેટલાક અસામાજિક તત્વો ઘુસવાનો અને કબ્જો લઇ લેવાનો પ્રયાસો કરે છે. જે અંગે અમોલરાજના પત્ની રાજનંદાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
(5:52 pm IST)