સુરતમાં વેડરોડ નજીક પુત્રીના લગ્નના ટેંશનમા આવી પિતાએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું
સુરત:શહેરમાં આત્મહત્યાના ચાર બનાવ પોલીસલ ચોપડે નોંધાયા છે. જેમાં ઉમરાની તરૃણી, ભેસ્તાનની ફેશન ડિઝાઇનીંગનો કોર્સ કરતી યુવતી, વેડરોડના હીરા વેપારીની નવપરણીત પત્ની અને પાંડેસરાના યુવાને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે.
નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરાના ભેસ્તાનમાં જય અંબે નગરમા રહેતા40 વર્ષના રાધેશ્યામ દગડુ સાવલેએ શનિવારે સવારે ઘરમાં છતના લોખંડની એંગલના પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાધો હતો. પોલીસે કહ્યું કે, રાધેશ્યામ મૂળ મધ્યપ્રદેશનો વતની હતો. ત્રણ વર્ષ પહેલા પત્ની સાથે છૂટાછેડા થયા હતા. તેની પુત્રી વતનમાં દાદા-દાદી સાથે રહે છે. પુત્રીના લગ્નના ટેન્શનમાં રહેતો હોવાથી આ પગલું ભર્યું હતુ. તે 10દિવસ પહેલા વતનથી સુરત આવ્યો હતો અને મજૂરી કામ કરતો હતો. બીજા બનાવમાં પાંડેસરના ભેસ્તાન ખાતે પ્રિયંકા ગ્રીન પાર્કમાં રહેતી 22 વર્ષની રીતુ ભીમરાવ પાંડેએ શનિવારે સાંજે ઘરમાં કોઈ કારણસર ટેન્શનમાં આવીને પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાદો હતો. રીતુ ફેશન ડિઝાઇનીંગનો અભ્યાસ કરતી હતી. તેનો એક ભાઈ અને એક બહેન છે. તેના પિતા નોકરી કરે છે. ત્રીજા બનાવમાં ઉમરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની તરૃણીએ શનિવારે સાંજે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે કહ્યું હતું કે તરૃણી મૂળ રાજસ્થાનની હતી. તેણે પ્રેમપ્રકરણમાં આ પગલુ ભર્યું હોવાની શકયતા છે. તેના પરિવારના સભ્યો પુણા વિસ્તારમાં રહે છે. તે ઉમરામાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતી હતી. ચોથા બનાવમાં વેડરોડ રોડ પર સંત જલારામ સોસાયટીમાં રહેતી 28 વર્ષની પાયલ સ્મિત વઘાસિયાએ શનિવારે સાંજે ઘરે કોઈ કારણસર માનસિક તાણ અનુભવતી હોવાથી બારી સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીદો હતો. તેના લગ્ન 10 માસ પહેલા જ થયા હતા. તેના પતિ હીરાના ધંધા સાથે સંકળાયેલા છે. આ અંગે ચોકબજાર પોલીસે તપાસ આદરી છે.