News of Thursday, 11th October 2018
શક્તિપીઠ પાવાગઢમાં ભાવિકોનું ઘોડાપુર: 1000થી વધુ પોલીસ તૈનાત : દુધિયા તળાવ ખાતે પ્રથમવાર લેસર શો
નિજ મંદિરમાં સવારના 4થી રાત્રીના 11 સુધી દર્શન થઇ શકશે
નવરાત્રીની શરૂઆત થતા શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે પ્રથમ દિવસે લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી નવરાત્રી દરમ્યાન શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા આવતા હોય છે. યાત્રાધામ પાવાગઢમાં માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ત્યારે પાવાગઢમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે એક હજારથી વધારે પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે.
ચાલુ વર્ષે પ્રથમ વખત લેસર શોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ લેસર શો ડુંગર પર આવેલા દુધિયા તળાવ ખાતે શ્રદ્ધાળુઓન બતાવવામાં આવશે. ત્યારે નવરાત્રી દરમ્યાન નિજ મંદિરમાં દર્શનનો સમય સવારના ૪ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી રહેશે.
(9:52 pm IST)