News of Wednesday, 11th September 2019
પુંજ કમિશન દ્વારા પાટીદાર આંદોલન મુદ્દે નોટિસ: હાર્દિક સહિતના યુવા નેતાઓને સુનાવણીમાં હાજર રહેવા આદેશ
16મીએ હાર્દિક પટેલ અને અમરીશ પટેલ અને 21મીએ ચિરાગ પટેલ અને કેતન પટેલને હાજર રહેવા નોટિસ
અમદાવાદ : પુંજ કમિશને પાટીદાર આંદોલન મામલે નોટિસ રજૂ કરી છે. અને હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, અમરીશ પટેલ અને કેતન પટેલને સુનાવણી માટે હાજર રહેવા આદેશ કર્યો છે
આગામી તારીખ 16 સપ્ટેમ્બરના રોજ હાર્દિક પટેલ અને અમરીશ પટેલને હાજર રહેવા આદેશ કરાયો છે.જ્યારે ચિરાગ પટેલ અને કેતન પટેલને 21 સપ્ટેમ્બરના રોજ હાજર થવા નોટિસ અપાઈ છે.
અત્રે ઉલેલ્ખનીય છે કે પાટીદાર આંદોલન થયાના બે વર્ષ બાદ પહેલી વાર પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોને સુનાવણી માટે બોલાવાયા છે.
(10:15 pm IST)