ગુજરાત
News of Wednesday, 11th September 2019

ગાંધીનગરમાં દલિત સમાજ વિરૂદ્ધ ટિપ્પણીનો મામલે સ્વામીનારાયણ સંત વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માગ

કાયદેસરની કાર્યવાહી નહી કરે તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી

ગાંધીનગરમાં સ્વામી વિશ્વવલ્લભદાસ વિરૂદ્ધ એટ્રોસિટી એકટ, IT એકટ અને IPC હેઠળ ફરિયાદ દાખલ કરવાની માગ કરવામાં આવી છે. કેટલાંક લોકો ડીજીપી ઓફીસે પહોંચ્યા હતા. અને સ્વામી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા લેખિતમાં રજૂઆત કરી હતી.

   સ્વામી વિશ્વવલ્લભદાસ દ્વારા દલિત સમુદાય પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ દલિત સમાજમાં આક્રોશ ફેલાયો છે, જો પોલીસ ફરિયાદ દાખલ નહી કરે અને કાયદેસરની કાર્યવાહી નહી કરે તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

(9:09 pm IST)