મહેસાણાના વડસ્મામાં પૈસાની ઉઘરાણી મામલે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:પથ્થરના ઘા જીકી આધેડની હત્યાથી અરેરાટી: પોલીસ તપાસમાં યુવાનનું નામ બહાર આવતા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી
મહેસાણા: તાલુકામાં આવેલા વડસ્માના આધેડનો પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાયેલો મૃતદેહ વેડા ગામની સીમમાંથી ગત શનિવારે મળી આવ્યો હતો. જેને પગલે ગાંધીનગર એલસીબી દ્વારા આ ગુનાને ઉકેલવા માટે દોડધામ શરૂ કરવામાં આવી હતી અને બાતમીદારોને સક્રિય કરી પોલીસે આ હત્યાને અંજામ આપનાર ગામના જ યુવાન અને તેના સાગરિતની ધરપકડ કરી લીધી છે. ઉછીના લીધેલા દોઢ લાખ રૂપિયા અને તેનું વ્યાજ ચુકવવું ના પડે તે માટે આ યુવાને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
મહેસાણા તાલુકામાં આવેલા વડસ્મા ગામમાં રહેતા અજીતસિંહ જીવણસિંહ ચાવડા ગામમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા તો તેની સાથે જમીન લે-વેચનું પણ કામ કરતા હતા. ત્યારે ૬ સપ્ટેમ્બરની રાત્રે તેઓ પોતાનું બાઇક લઇને નીકળ્યા હતા. મોડીરાત સુધી તેઓ પરત નહીં ફરતા દીકરીએ ફોન કર્યો હતો પરંતુ આધેડ ફોન નહોતા ઉઠાવતા ત્યાર બાદ ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો. જેથી પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.