ગુજરાત નોટરી ફેડરેશનના ઉપક્રમે ૨૮મીએ નોટરીઓ માટે લીગલ સેમિનાર
નવનીયુકત નોટરી સહિતનાઓને માર્ગદર્શન અપાશે
રાજકોટ તા.૧૧: નવનીયુકત નોટરી તેમજ પ્રેકટીશ કરતાં વકીલ મિત્રોને નોટરી એકટ તેમજ નોટરી એથીકસ જેવા કાયદાકીય સબ્જેકટ ઉપર પુરતુ માર્ગદર્શન મળી રહે તેવા શુભ હેતુથી રાજકોટમાં આગામી તા.૨૮-૯-૨૦૧૯ને શનિવારના રોજ બપોરે ૩ થી ૭ નોટરી લીગલ સેમીનારનું આયોજન ''ગુજરાત નોટરી ફેડરેશન''ના ઉપક્રમે થઇ રહેલ છે, જેમાં વકતા તરીકે એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ તેમજ દિપેનભાઇ દવે તેમજ યતીનભાઇ સોની પોતાના જ્ઞાનનો લાભ આપશે જે સેમિનાર માટેની સભ્ય નોંધણીની પ્રક્રિયા શરૂ થયેલ હોય તો નોટરી તરીકે હાલમાં નીમણુંક પામેલ તથા નોટરી તરીકે પ્રેકટીશ કરતાં તમામ વકીલ મિત્રોને કાર્યક્રમના પાસ નીચે જણાવેલ સંસ્થાના હોદેદારો પાસેથી મેળવી લેવા વિનંતી, હેમુ ગઢવી મીનીહોલમાં કાર્યક્રમ રાખેલ હોય સભ્ય નોંધણી ખુબ જ મર્યાદીત હોય વહેલા તે પહેલાના ધોરણે પાસ આપવામાં આવશે.
આ કાર્યક્રમને સુંદર બનાવવા માટે રાજેન્દ્રસિંહ ગોહીલ, અશ્વિનભાઇ સેખલીયા, ભુપેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ચૌહાણ, સંજયભાઇ જોષી, શૈલેષભાઇ દવે, ઓમદેવસિંહ જાડેજા, હેમલભાઇ ગોહીલ જહેમત ઉઠાવી રહેલ છે.