અમદાવાદના રાજગોર આરોગ્ય ભવનમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
જૂનાગઢ : અમદાવાદશ્રી વિશ્વ શકિત રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા સ્વ.રતિલાલ ગોવિંદજી ભટ્ટ રાજગોર બ્રાહ્મણ આરોગ્ય ભુવન સીવીલ હોસ્પિટલ ઓપીડી ગેટ સામે મુખી વાસ જહાગીરપુરા ખાતે પૂ.સરોજબેન તેરૈયાના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં દરરોજ બપોરે ૩ થી ૬ સરોજબેન તેરૈયા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવે છે. જેમાં કૃષ્ણજન્મોત્સવ, ગોવર્ધનપુજા અને આજે રૂક્ષ્મણીવિવાહનો પ્રસંગ ઉજવાશે. ઉપરોકત તસ્વીરમાં કથાનું રસપાન કરાવતા સરોજબેન તેરૈયા તેમજ કથાશ્રવણ કરતા અસ્મિતાબેન રવિયા અને વિશ્વશકિત રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળના બહેનો નજરે પડે છે. આજે બુધવારે સુદામા ચરિત્ર પરિક્ષીત મોક્ષ કથા સાથે પુર્ણાહુતી થશે. (તસ્વીર-અહેવાલ : વિનુજોષી, જૂનાગઢ)