ગુજરાત
News of Saturday, 11th August 2018

લવરાત્રી ફિલ્મના નામ સાથે સાંસ્કૃતિને બદનામ કરવાની ચેષ્ટા : કેટલાક દ્રશ્યો સામે પણ વિરોધ વડોદરામાં ધર્મગુરુ પૂ,ડો, જ્યોતિનાથ મહારાજે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

વડોદરા: શહેરમાં સલમાન ખાન પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવાયેલ નવરાત્રી ફિલ્મના નામ અને કેટલાક દ્રશ્યો સામે વડોદરાના ધર્મગુરુ પ પૂ ડો  જ્યોતિનાથ મહારાજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે

   અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ શહેરમાં આ ફિલ્મનો વિરોધ કરાયો હતો ત્યારે પ્રોડક્શન હાઉસ દ્વારા નામ બદલવાની બાહેધરી આપવામાં આવી હતી છતાં પણ એ જ નામ રખાતા આજે ફરી  વિરોધ કરાયો છે

    જ્યોતિનાથ જી મહારાજએ આ લવરાત્રી ફિલ્મના નામ સાથે સાંસ્કૃતિને બદનામ કરવાની ચેષ્ટા ગણાવી છે જોકે સંસ્કૃતિનું અપમાન ગણાતા આ વિરોધમાં હિન્દુ પ્રહરી એવા કોઇ પદાધિકારી ના નિવેદનો હાલ સામે આવ્યા નથી !

(9:15 pm IST)