ગુજરાત
News of Saturday, 11th August 2018

રાજપુરથી નંદાસણ સુધીની માલધારી રેલીમાં ઘર્ષણ મામલે 119 લોકો સામે નમજોગ સહીત 2000 લોકો વિરુદ્ધ ફરિયાદ

114 શખ્શોની અટકાયત :રાયોટીંગ,બે બસનો નુકશાન,ગેરકયળે વાહનો રોકવા,મામલે ગુન્હો નોંધ્યો

ગોધરા :ગોરક્ષકની હત્યાના વિરોધમાં રાજપુરથી નંદાસણ સુધી માલધારીઓની રેલી દરમ્યાન સર્જાયેલા ઘર્ષણના મામલે પોલીસે 119 લોકોની સામે નામજોગ જ્યારે બાકીના શખ્સોને મળીને કુલ 2000ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેમાં 114 શખ્સોની સામે સીઆરપીસીની કલમ 68 મુજબ અટકાયત કરાઇ છે. જેમાં રાયોટિંગ, બે બસોને નુકશાન, ગેરકાયદેસર વાહનો રોકવા મામલે ગુનો નોંધાયો છે.

(1:33 pm IST)