News of Saturday, 11th August 2018
સરકાર જૂની જાહેરાતોને નવા રૂપમાં દર્શાવી સવર્ણોને ઉલ્લુ બનાવે છે. :હાર્દિક પટેલ
અમદાવાદ : આજે બિન અનામત વર્ગની 58 જ્ઞાતિઓના 1.58 કરોડ લોકોને શિક્ષણમાં લાભ આપવા માટે સરકારે જાહેર કરેલી રાહતો બાદ આ અાંદોલનના નેતા હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે. બિન અનામત વર્ગ માટે સરકારે કરેલી જાહેરાતોને હાર્દિકે વધુ એક લોલીપોપ ગણાવી છે.
હાર્દિકે કહ્યું કે જાહેરાતમાં કશું નવું નથી. સરકાર જૂની જાહેરાતોને નવા રૂપમાં દર્શાવી સવર્ણોને ઉલ્લુ બનાવે છે. સાથે કહ્યું કે શું સરકારે બિનઅનામત આયોગને બંધારણીય દરજ્જો આપ્યો છે કે નહીં તે પણ જાણીશું.
(6:33 pm IST)