ગુજરાત
News of Saturday, 11th August 2018

સુરતના સલાબતપુરા વિસ્તારમાં પતિની તબિયત ખરાબ હોવાથી અને દેવુ વધી જતા મહિલા તાંત્રિક પાસે ગઇ અને તાંત્રિકે વિધીના બહાને દુષ્‍કર્મ આચરી ૪પ તોલા સોનુ પડાવી લીધુ

સુરતઃ સુરતમાં સલાબતપુરા વિસ્‍તારમાં રહેતી અેક પરણિતા ઉપર તાંત્રિકે વિધી કરવાના બહાને દુષ્‍કર્મ આચરતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા તાંત્રિકે દુષ્કર્મ કર્યુ હોવાનુ મહિલાએ સબાલતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહત્વનુ છે કે, પીડિત મહિલાના પતિની તબિયત ખરાબ હોવા અને માથે દેવુ વધી જવાના કારણે મહિલા ઢોંગી તાંત્રિક પાસે પહોંચી હતી. આ દરમિયાન તાંત્રિકે વિધી કરવા બાદ મહિલાની સમસ્યાનુ નિવારણ આવશે તે કહેવા બાદ મહિલાએ તાંત્રિક પાસેથી વિધી કરાવી હતી. ત્યાર બાદ તાંત્રિકે વિધી કરવાના બહાને મહિલા પાસેથી તાંત્રિકે સોનાના ઘરેણાં પણ પડાવ્યા હતા. ત્યારે હવે આ સાબલતપુર પોલીસે છેતરપિંડી અને દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.

 

(5:41 pm IST)