ગાંધીનગર નજીક લેકાવાડામાં નજીવી બાબતે તકરાર કરી પત્નીએ પતિની કુહાડીથી કરપીણ હત્યા કરી
ગાંધીનગર:શહેર નજીક આવેલા લેકાવાડા ગામમાં ખેતરમાં કામ કરવા માટે મધ્યપ્રદેશથી આવેલા પરિવારમાં થયેલી નજીવી તકરારમાં પત્નિએ પતિના માથામાં કુહાડીના ઘા ઝીંકી દીધા હતા અને ફરાર થઈ ગઈ હતી. ખેતર માલિકને આ અંગે જાણ થતાં ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડયો હતો પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે ચિલોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર પત્નિની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ આદરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે મધ્યપ્રદેશના અલીરાજપુરના બોકડીયા ખાતે રહેતાં કમલેશભાઈ સંતિયાભાઈ નાયકા તથા તેની પત્નિ મની ઉર્ફે મનીષા અને બે બાળકો બે મહિના પહેલા લેકાવાડા ગામે રહેતાં ઈન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાના ખેતરમાં ખેત મજુર તરીકે આવ્યા હતા. દરમ્યાનમાં ગઈકાલે સવારના સમયે ઈન્દ્રસિંહ તેમના બોર કુવા ઉપર પહોંચ્યા ત્યારે કમલેશભાઈ ખાટલામાં સુઈ રહયા હતા અને માથાના ભાગે થતા મોઢામાંથી લોહી નીકળતું હતું.