ગુજરાત
News of Tuesday, 11th June 2019

સુરત ખાતે સમસ્ત રાદડીયા પરીવારનું સ્નેહમીલન

સુરત ખાતે રાદડીયા પરીવારનું ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું. જેમાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનું ભવ્ય સન્માન કરાયું હતું અને આ તકે ખેડુત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની સેવાઓને બીરદાવી હતી. આ તકે તેજસ્વી તારલાઓનું સમાજ શ્રેષ્ઠીઓના વરદ હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરાયા હતા. આ તકે જયેશભાઇ રાદડીયા પરીવારના જયેશભાઇ રાદડીયા, લાલજીભાઇ રાદડીયા તેમજ પરીવાર વિશાળ સંખ્યામાં હાજર રહેલ હતા. (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા)

(11:50 am IST)