ગુજરાત
News of Tuesday, 11th June 2019

ગીરના આઠ સિંહોનું મેડિકલ ચેકઅપ પૂર્ણ પગોરખપુર ઝૂ માં કાયમી કરશે વસવાટ

મુખ્યમંત્રીના હસ્તે ગોરખપુર ઝૂ ના સત્તાધીશોને સિંહોની સોંપણીનો પત્ર સુર્પત કરાશે

અમદાવાદ : ગીરના સિંહોને યુપીના ગોરખપુર ઝૂ ખાતે મોકલવાની તજવીજ શરૂ કરાઇ છે. સાસણ ગીર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ગોરખપુર ઝૂ ના સત્તાધીશોને સિંહોની સોંપણીનો પત્ર સુર્પત કરાશે.   

     સકકરબાગથી બે નર તથા છ માદાને હવાઇમાર્ગે ગોરખપુર મોકલતા પહેલા તેમનું મેડિકલ ચેકઅપ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ જૂનાગઢનાં આઠ સિંહ ગોરખપુરનાં કાયમી નિવાસી બની જશે

(11:56 pm IST)