વડોદરા:પત્ની પિયરમાં ઝઘડો કરીને ચાલી જતા પતિએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી
વડોદરા:પતિની દારૃની ટેવના કારણે પત્ની પિયરમાં જતી રહી હતી.દરમિયાન પત્નીના વિરહમાં ગતરાતે પતિએ પોતાના ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે જે.પી.રોડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જે.પી.રોડ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર,મુજમહુડા ગામમાં રહેતો ૩૩ વર્ષનો ગણેશ વસાવા ખાનગી કંપનીમાં નોકરી કરે છે.ગતરાતે તેણે ઘરે જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જેની જાણ જે.પી.રોડ પોલીસને કરવામાં આવતા હે.કો.ન્યાઝ મહંમદે ઘટનાસ્થળે જઇ તપાસ કરી હતી.પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે,ગણેશને દારૃ પીવાની ટેવ હોય તેની પત્ની કંટાળીને પિયરમાં જતી રહી હતી.ગણેશ અવાર નવાર પત્નીને સમજાવવા પિયરમાં જતો હતો.પરંતુ,તેની પત્ની આવતી નહતી.શનિવારે પણ ગણેશ પત્નીને સમજાવવા ગયો હતો.પરંતુ,પત્ની એક જ વાત કહેતી હતી કે,તમે દારૃ પીવાનુ છોડી દો.છેવટે ગણેશ ઘરે પરત આવી ગયો હતો.અને રાતે આવેશમાં આવીને આપઘાત કરી લીધો હતો.