ગુજરાત
News of Tuesday, 11th May 2021

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ આયુર્વેદ હોસ્પિટલમાં કોવિડ 19 પેશન્ટની મુલાકાત લીધી

અકિલા સાથે વાતચીતમાં જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આયુર્વેદ હોસ્પિટલમાં એક જીઆરડી મહિલા જવાન દાખલ છે તેની સારવારની માહિતી લીધી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.  રાજદીપસિંહ ઝાલા જિલ્લા પોલીસ વડાની સાથે વલસાડ નવસારી સુરત ગ્રામ્ય ભરૂચ એસઆરપી વિભાગમાં મેડીકલ નોડલ અધિકારી તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. ડૉ. ઝાલા ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારને મેડીકલ, કે કોઈપણ જાતની મૂંઝવણ અંગે તેઓ માર્ગદર્શન આપશે. ભારત દેશ ગુજરાત રાજ્ય મા કોરોના વાઈરસને અટકાવવા સરકાર દ્વારા પૂર્ણ વાયરસને તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેમ છતાં અટકવાનું નામ લેતો નથી ત્યારે ડી. જી ના આદેશ મુજબ રાજ્ય પોલીસ વડા તરીકે  ફરજ બજાવતા અને ડૉક્ટરની ડિગ્રી મેળવનારા ૧૬ જેટલા અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ને નોડલ અધિકારી નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા એ આયુર્વેદ હોસ્પિટલ માં કોવિડ 19 પેશન્ટ ની મુલાકાત લીધી હતી અકિલા સાથે વાતચીત માં જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આયુર્વેદ હોસ્પિટલમાં એક જીઆરડી મહિલા જવાન દાખલ છે તેની સારવાર ની માહિતી લીધી હતી ને ચર્ચા કરી હતી

(12:20 pm IST)