ગુજરાત
News of Saturday, 11th May 2019

વડોદરાના મુક્તિધામમાં હચમચાતો કિસ્સો : અર્ધબળેલો મૃતદેહ કુતરા ખેંચી ગયા

ગોત્રી વિસ્તારના મુક્તિધામની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ :કુતરાઓ ઘુસ્યા કેમ ?

વડોદરા સ્માશનગૃહમાં હચમાવતો કિસ્સો બહાર આવ્યો છે ગોત્રી વિસ્તારમાં આવેલા મુક્તિધામ સ્મશાનગૃહમાં મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાયો હતો. આ મૃતદેહના અગ્નિસંસ્કાર પૂરા થયા ત્યારે કૂતરા સ્મશાનગૃહમાં ઘૂસ્યા હતા અને અર્ધબળેલા મૃતદેહના કેટલાક ભાગ ખેંચીને સ્મશાનગૃહની બહાર લઇ ગયા હતા. જેનાથી સ્મશાનગૃહની સુરક્ષા સામે સવાલો ઉઠ્યાં છે.

     ગોત્રી તળાવ કિનારે આવેલા મુક્તિધામ સ્મશાનગૃહનું આઠ મહિના પહેલા જ નવિનીકરણ કરાયું હતું. આ મુક્તિધામની આસપાસ કૂતરાઓ ફરતાં રહે છે. અંતિમસંસ્કાર કર્યાં પછી મૃતદેહની સુરક્ષા નથી તેવા અનેક સવાલો ઉઠવા પામ્યાં છે.

    આ મામલે મળતી માહિતી પ્રમાણે ગુરૂવારે સવારે એક રખડતું કૂતરૂ સ્મશાનમાંથી એક મૃતદેહનો અડધો બળેલો ટુકડો બહાર લઇ આવ્યું હતું. આ જોનાર સૌ કોઇ ભોંઠા થઇ ગયા હતાં. આ આખા કેસ પર મ્યુ. કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી હતી.

(1:39 pm IST)