ગુજરાત
News of Saturday, 11th May 2019

કડીના દલિત સમાજના બહિષ્કાર મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું સરકાર કડક પગલાં ભરશે

આ પ્રકારોનો બહિષ્કાર ચલાવી લેવામાં નહીં આવે

 

કચ્છઃ કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ મુલાકાત લીધી હતી. અને કોટેશ્વર ખાતે મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા બેઠક પણ યોજી હતી. અધિકારીઓ સાથે અછત અંગે સમીક્ષા કરી અને ઘાસ અને પાણીની સમસ્યાને ઉકેલવાની ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરતા કડીના દલિત સમાજના બહિષ્કાર અંગે જણાવ્યું હતું કે, આ પ્રકારોનો બહિષ્કાર ચલાવી લેવામાં નહીં આવે અને સરકાર કડક પગલાં ભરશે એવી ખાત્રી પણ આવી હતી.

(12:27 am IST)