ગુજરાત
News of Saturday, 11th May 2019

મુંબઈ અમદાવાદ હાઇવે પર આંબોલી નજીક કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં છ લોકોના કરૂણમોત : બે ગંભીર

બાઈક ચાલકને બચાવવા જતા કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો: તમામ મૃતકો મુંબઈના કાંદીવલી, પનવેલ અને મોખડાના રહેવાસી

અમદાવાદ :મહારાષ્ટ્ર અને ગુજરાત હદ પર મહારાષ્ટ્રમાં આવેલા આંબોલી પાસે મુંબઈ અમદાવાદ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે બેની હાલત ગંભીર છે.

   મહારાષ્ટ્રના આંબોલી પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. હાઈવે ક્રોસ કરી રહેલા બાઈક ચાલકને બચાવવા જતા કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો. તમામ મૃતકો મુંબઈના કાંદીવલી, પનવેલ અને મોખડાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

   અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, 6 લોકોના તો ઘટના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક સાથે 6 લોકોના મોતથી સમગ્ર હાઈવે પર ગમગીનીનો માહોલ સર્જાયો હતો.

   અકસ્માત મુંબઈ અમદાવાદ મેઈન નેશનલ હાઈવે પર સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. જોકે પોલીસે સ્થલ પર આવી મામલો હાથમાં લઈ પરિસ્થિતિ પર કાબુ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  પોલીસ પાસેથી મળતા  મૃતકોના નામ  મુજબ  1-રાકેશ પ્રવિણલાલ શાહ(કાંદીવલી), 2 - પ્રતિભા પરિમલ શાહ (કાંદીવલી), 3 - આકાશ ચૌહાણ (બોરીવલી), 4 - ભાગવત દગડુ જાધવ (પનવેલ),  5 - દિલીપ મધુકર ચંદાને  (પાનવેલ), 6 - નવનાથ રમાકાંત નવલે (મોંકડા)નો સમાવેશ થાય છે, જ્યારે  જ્યારે જિંદલ હિરેન શાહ.(પનવેલ )અને નવનાથ નારાયણ સૂપે (નોખડા )ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિલમાં ખસેડવા માં આવ્યા હતા.

(11:22 pm IST)