ગુજરાત
News of Sunday, 11th April 2021

રાજ્યમાં કોરોના બિહામણો બન્યો : અમદાવાદ-સુરતમાં રાફડો ફાટ્યો : આજે નવા રેકોર્ડબ્રેક 5011 પોઝિટિવ કેસ : વધુ 2525 દર્દીઓ સ્વસ્થ થયા : 49 દર્દીઓના મોત :કુલ મૃત્યુઆંક 4746 થયો : કુલ 3,12,151 લોકોએ કોરોનાને હરાવ્યો :વધુ 2,87,617 લોકોનું રસીકરણ કરાયું:

રાજ્યમાં આજે અમદાવાદમાં 1440 કેસ,સુરતમાં 1152 કેસ, વડોદરામાં 445 કેસ,રાજકોટમાં 529 કેસ,જામનગરમાં 275 કેસ, પાટણમાં 118 કેસ, મહેસાણામાં 102 કેસ, ભાવનગરમાં 94 કેસ, જૂનાગઢમાં 93 કેસ, કચ્છ અને મોરબીમાં 52-52 કેસ,સાબરકાંઠામાં 45 કેસ, મહીસાગરમાં 44 કેસ, નવસારી અને પંચમહાલમાં 41-41 કેસ, દાહોદ અને ખેડામાં 38-38 કેસ, આણંદમાં 33 કેસ, અમરેલી અને ભરૂચમાં 32-32 કેસ, સુરેન્દ્રનગરમાં 29 કેસ, ગીર સોમનાથ અને નર્મદામાં 28-28 કેસ, વલસાડમાં 25 કેસ નોંધાયા : હાલમાં 25129 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 4000ને પાર પહોંચ્યા છે આજે રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે આજ સુધીના સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં 5011 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 2525  દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા રેકોર્ડબ્રેક 5011 કેસ નોંધાયા છે જયારે વધુ 2525 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ  3,12,151 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 49 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 4746 થયો છે છે  રાજ્યમાં રિકવરી રેટ 91,27 ટકા  થયો છે

 રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 15, અમદાવાદ  કોર્પોરેશનમાં 14, રાજકોટ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદમાં 2,સુરેન્દ્રનગરમાં 2, છોટાઉદેપુરમાં 1, અગનધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1,અને સુરતમાં 1  મળીને કુલ 49 દર્દીઓના  મોત નિપજ્યા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4746 થયો છે  

    રાજ્યમાં હાલ  25129 એક્ટિવ  કેસ છે, જેમાંથી 192 લોકો વેન્ટિલેટર પર અને 24,937  લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3,12,151 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 78,71,091 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 10,31,134 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 89,027,25 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી આજે 2,34,272 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 43,474 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 5011  કેસમાં અમદાવાદમાં 1440 કેસ,સુરતમાં 1152 કેસ, વડોદરામાં 445 કેસ,રાજકોટમાં 529 કેસ,જામનગરમાં 275 કેસ, પાટણમાં 118 કેસ, મહેસાણામાં 102 કેસ, ભાવનગરમાં 94 કેસ, જૂનાગઢમાં 93 કેસ, કચ્છ અને મોરબીમાં 52-52 કેસ,સાબરકાંઠામાં 45 કેસ, મહીસાગરમાં 44 કેસ, નવસારી અને પંચમહાલમાં 41-41 કેસ, દાહોદ અને ખેડામાં 38-38 કેસ, આણંદમાં 33 કેસ, અમરેલી અને ભરૂચમાં 32-32 કેસ, સુરેન્દ્રનગરમાં 29 કેસ, ગીર સોમનાથ અને નર્મદામાં 28-28 કેસ, વલસાડમાં 25 કેસ નોંધાયા છે

(8:40 pm IST)