ગુજરાત
News of Sunday, 11th April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલ શુક્રવારે 03 તથા શનિવારે 01 મળી 4 ના મોત : આ સિઝનનો મૃત્યુ આંક 09 પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ કેસ માં સતત વધારો થઈ રહ્યો છે સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો હોય એ બાબત ચિંતાજનક છે, જેમાં રાજપીપળા ના વડીયા પેલેસ ખાતે આવેલી કોવીડ હોસ્પિટલ અને કેર સેન્ટર્ ખાતે દર્દીઓ ની સંખ્યા વધી રહી છે. આ સિઝન ની શરૂઆત માં કોરોના થી રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં દાખલ આજદિન સુધી કુલ 09 દર્દીઓના મોત થયા હોવાનું સિવિલ સર્જન અને કોવિડ ઇન્ચાર્જ જ્યોતિ ગુપ્તા એ માહિતી આપતા જણાવ્યું હતું જેમાં શુક્રવારે 03 અને શનિવારે 01 દર્દી મળી પાછલા બે દિવસ માં જ કુલ 04 નો મૃત્યુ આંક જોવા મળ્યો છે.આ સીઝનમાં સરકારી આંકડા મુજબ કુલ 09 દર્દીઓના મોત નિપજ્યા છે.
 જોકે સિવિલ સર્જન જ્યોતિબેન ગુપ્તા એ ટેલિફોનિક વાત માં એમ પણ જણાવ્યું કે કેટલાક દર્દીઓ એકદમ લાસ્ટ સ્ટેજ હોય ત્યારે દાખલ થાય છે જેને બચાવવા ડોકટરો ઘણા પ્રયાસ કરે છે પરંતુ શરૂઆત માં જ જો દાખલ થતા હોય તો ઘણા દર્દીઓ ના મોત અટકાવી શકાય કે બચાવવા પ્રયાસ કરી શકાય માટે આ બાબત દર્દીઓ અને તેમના સંબંધીઓ ખાસ ધ્યાન લે તેવો તેમણે મેસેજ આપ્યો હતો.

(10:33 pm IST)