અમદાવાદમાં મતદાન જાગૃતિ ઝુંબેશનો પ્રારંભ કરાવતા ડો.વિક્રાંત પાંડે
અમદાવાદઃ લોકસભા ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત મતદાનનો દિવસ હવે બહુ દૂર નથી ત્યારે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર મતદારોમાં મતદાન જાગૃતિ કેળવવા શહેર-જિલ્લાની શાળા, કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત અનેક સ્થળોએ મતદાન માટેની જન જાગૃતિના કાર્યક્રમો યોજી રહ્યું છે. આ સંદર્ભે જીલ્લાભરમાં વાહનો પર મતદાન જાગૃતિ કેળવતા સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લા કલેકટર તથા ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેએ ડફનાળા ચાર રસ્તા, શાહીબાગ ખાતે વાહનો પર સ્ટીકર લગાવવાની ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં પાંચ લાખ જેટલા વાહનો પર મતદાન જાગૃતિ કેળવતા સ્ટીકર લગાવવાનું આયોજન હોય. જિલ્લા વહીવટી તંત્રના વિવિધ ઉચ્ચ અધિકારીઓ આ ઝુંબેશમાં અલગ-અલગ સ્થળોએ જોડાશે.