અમદાવાદમાં બસનું વ્હીલ ફરી વળતા બાઇક સવારનું મોત
અમદાવાદઃ અમદાવાદમાં આજે સવારે વધુ અેક અકસ્માતમાં બાઇક ચાલક વૃદ્ધનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
આ કરુણ અકસમાતનો ભોગ બનેલા વૃદ્ધનું નામ જ્હોન વર્ગિસ હોવાનું બહાર આવ્યું છે, અને તેઓ આરટીઓ નજીક આવેલા ચીમનભાઈ પટેલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને એક બસે અડફેટે લીધા હતા. શરીર પર બસનું આગળનું ટાયર ફરી વળતા વર્સિસભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું.
મત્વનું છે કે, તાજેતરના સમયમાં સ્ટાફ બસ દ્વારા અકસ્માત કરાયા હોવાના ત્રણેક બનાવો બની ચૂક્યા છે. ટ્રાફિક પોલીસ ભલે લોકોમાં જાગૃતિ ફેલાવવા ગમે તેટલા પ્રયાસ કરે, પરંતુ જાણે અમદાવાદીઓ તેને માનવા તૈયાર જ ન નથી. શહેરમાં ટ્રાફિકની સમસ્યા લોકોમાં ટ્રાફિક સેન્સના અભાવે જ દિવસેને દિવસે વકરી રહી છે, જે ક્યારેક જીવલેણ અકસ્માતમાં પણ પરિણમે છે.