ગુજરાત
News of Wednesday, 11th April 2018

સુરત અેરપોર્ટ પાસે ડાંગરનો પાક નિષ્‍ફળ જતા ઓલપાડના પટેલ દંપતિઅે મોત મીઠુ કર્યુ

સુરતઃ ઓલપાડમાં રહેતા પટેલ ખેડૂત દંપતિઅે સુરતમાં આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળેલી વિગત મુજબ ઓલપાડમાં રહેતા જયેશભાઇ મણીભાઇ પટેલ ખેતીનું કામ  કરતા હતા. તેમણે ડાંગરની ખેતી કરી હતી પણ નહેરનું પાણી ખેતર સુધી પહોંચી શક્યું નહોતું એટલે તેમનો ડાંગરનો પાક નિષ્ફળ ગયો હતો. જયેશભાઇના નજીકના વર્તુળોએ કહ્યું હતું કે તેમણે દોઢેક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે નહીં ચુકવી શકવાને કારણે કદાચ આપઘાત કર્યો હોય શકે. જો  કે પોલીસ તપાસમાં સાચું કારણ જાણવા મળશે.

(6:24 pm IST)