News of Tuesday, 11th February 2020
અમદાવાદના શાહઆલમ પથ્થરમારા મામલે કોર્પોરેટર શહેઝાદ ખાન સહીત 12 લોકોના રેગ્યુલર જામીન મંજૂર
બીજીવાર આવા ગુના ન કરવાની શરતે જામીન મંજૂર થયા
અમદાવાદના દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણના રેગ્યુલર જામીન કોર્ટે મંજૂર કર્યા છે. સેશન્સ કોર્ટે શહેઝાદ ખાન પઠાણ સહિત બાર લોકોના જામીન મંજૂર કર્યા છે. બીજીવાર આવા ગુના ન કરવાની શરતે જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે CAAના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. ત્યારે 19મી ડિસેમ્બરે સાંજે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરનારાઓએ તોફાન મચાવ્યું હતું. તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં 20 જેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા.
(11:31 pm IST)