આણંદની ગોપી ટોકીઝ સામે નવજાત બાળક મૃતહાલતમાં ત્યજેલ મળી આવતા તપાસ શરૂ
આણંદ: શહેરની ગોપી ટોકિઝ સામે આવેલી યોગીપુજન સાઈટ ઉપરથી ગઈકાલે સાંજના સુમારે એક તાજુ જન્મેલુ નવજાત મૃત શિશુ મળી આવતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી અલ્પેશભાઈ હરિભાઈ મોરડીયાની ગોપી ટોકિઝ સામે ટીપી ૧૦માં ફાઈનલ પ્લોટ નંબર ૭૮માં યોગીપુજન નામની સાઈટ ચાલી રહી છે. ગઈકાલે સાંજના છ વાગ્યાના સુમારે તેમને એક નવજાત બાળક (પુરૂષ)મૃત હાલતમાં મળી આવતાં તુરંત જ શહેર પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ટીમ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મૃત નવજાત બાળકનો કબજો લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યું હતુ.
પોલીસના જણાવ્યા અનુસાર બાળકના અજાણ્યા માતા-પિતા કે પછી તેની સંભાળ રાખનાર દ્વારા આ બે-ત્રણ દિવસ પહેલા જ જન્મેલા બાળકને કકડતી ઠંડીમાં ત્યજી દેવામાં આવ્યું હતુ જેના કારણે તેનું મોત થયું હતુ.