News of Monday, 11th February 2019
ભવ્ય ગ્રામ્ય વિકાસ યાત્રા
મહેસાણા : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ધરમપુર શ્રી સ્વામિનારાયણ મંદિર નવનિર્માણ મહોત્સવ અંતર્ગત ભવ્ય ગ્રામ્ય વિકાસ યાત્રા નિકળી હતી. આજુબાજુના ૪ર ગામોના હરિભકતોનો માનવસમુહ યાત્રામાં જોડાયો હતો.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના આપેલી આચાર સંહિતા રૂપ શિક્ષાપત્રીનું પણ ભવ્ય રીતે પુજન કરાયું હતું.
પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આર્શિવાદમાં જણાવ્યું હતું કે મનુષ્યે જીવનમાંથી વ્યસનોને તિલાંજલી આપવી કેમકે વ્યસન મનુષ્યને અધોગતિના પંથે દોરનારૂ છે, ઉપરાંત મુનષ્યે પરસ્પર સ્નેહ સંપ રાખવો, જેના જીવનમાં ધર્મ, સંસ્કાર, સ્નેહસંપ હશે તે મનુષ્ય ઉન્નતિના શિખર કરી શકશે.
(2:00 pm IST)