ગુજરાત
News of Monday, 11th February 2019

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી હાહાકાર : વધુ ૪ના મૃત્યું

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી હાહાકાર : વધુ ૪ના મૃત્યુંએક જ દિવસમાં ૭૮ નવા કેસ સપાટી પર આવ્યા : સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો વધીને સત્તાવાર રીતે ૫૯ થયો : હજુપણ ૫૭૦ લોકો સારવાર હેઠળ હોવાથી ચિંતા

અમદાવાદ,તા.૧૦ : ગુજરાતમાં કિલર બનેલા સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુને કાબુમાં લેવાના તમામ પ્રયાસો હોવા છતાં દરરોજ સ્વાઈન ફ્લુના ગુજરાતમાં ૩૨થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના કારણે છેલ્લા ૪૦ દિવસના ગાળામાં જ ૩૨ લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. આજે ચાર લોકોના મોત થતા મોતનો આંકડો વધીને સત્તાવાર રીતે ૫૯ ઉપર પહોંચ્યો હતો. જ્યારે બિનસત્તાવાર રીતે ૭૪ ઉપર પહોંચ્યો હતો. સ્વાઈન ફ્લુના કુલ કેસોની સંખ્યા વધીને ૧૩૪૦ સુધી પહોંચી ગઈ છે. આજે સ્વાઈન ફ્લુ ૭૮ નવા કેસ સપાટી પર આવ્યા હતા. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. ૫૭૦ લોકો હજુ પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ૭૮ નવા કેસ પૈકી જુદા જુદા વિસ્તારમાં આ કેસ નોંધાયા છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહેતા હવે સ્કુલ અને કોલેજો માટે પણ આરોગ્ય ચેતવણી જારી કરાઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્યત્ર વિસ્તારોમાં સ્વાઈન ફ્લુનો આતંક વધારે જોવા મળ્યો છે. એકલા રાજકોટમાં પહેલી જાન્યુઆરી બાદથી જ સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો ૩૧ ઉપર પહોંચ્યો છે. જ્યારે કચ્છમાં મોતનો આંકડો સત્તવાર રીતે જાણી શકાયો નથી. ગુજરાતમાં સ્વાઈન ફ્લુના દરરોજ ૩૨ નવા કેસ બની રહ્યા છે. જ્યારે દર બે દિવસમાં ત્રણ લોકોના મોત પણ પહેલી જાન્યુઆરી બાદ થઈ રહ્યા છે. ગઈકાલે ૭૫થી વધુ કેસો સપાટી પર આવ્યા બાદ આજે વધુ ૭૮ કેસ નોંધાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના રોગચાળાને રોકવા માટે સરકારી સ્કુલોમાં રહેલા શિક્ષકોને પણ લક્ષણો પર ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રાલય પણ સ્વાઈન ફ્લુના કારણે ચિંતિત દેખાઈ રહ્યું છે જેના ભાગરુપે ગુજરાત અને પંજાબમાં કેન્દ્રીય ટીમ પહોંચી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્થિતિના મુલ્યાંકન માટે તથા બિમારીઓથી પહોંચી વળવા માટે કેટલાક પગલા હાથ ધર્યા છે જેના ભાગરુપે રાજ્યોની સહાયતા માટે બે ટીમો પણ મોકલી દીધી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ગુજરાતમાં ૧૦મી ફેબ્રુઆરી સુધી જ સ્વાઈન ફ્લુથી સત્તાવારરીતે ૫૯ના મોત થયા હતા અને ૧૩૫૦ કેસ નોંધાયા હતા.  સ્વાઈન ફ્લૂથ મોતનો આંકડો હજુ પણ સ્પષ્ટ રીતે મળી રહ્યો નથી પરંતુ સત્તાવાર રીતે જોઈએ તો પણ નવા વર્ષમાં હજુ સુધી ૫૯ના મોત થઈ ચુક્યા છે. જ્યારે બિનસત્તાવારરીતે ૭૪ ઉપર પહોંચ્યો હતો. પંજાબ અને રાજસ્થાનમાં પણ હાલત કફોડી બનેલી છે. પંજાબમાં ૩૦ના મોત થયા છે અને ૩૦૧ કેસ નોંધાયા છે. સ્વાઈન ફ્લુના લીધે દેશભરમાં ૨૨૬થી વધુના મોત થઇ ગયા છે. વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરી બાદથી હજુ સુધી રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૩૫૦થી પણ ઉપર પહોંચી ગઈ છે જ્યારે સ્વસ્થ થઇને ઘરે પરત ફરેલા દર્દીઓની સંખ્યા ૬૫૦ જેટલી નોંધાઈ છે. સ્વાઈન ફ્લુની અસર થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા હાલમાં ૫૭૦ની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. સારવાર હેઠળ રહેલા ઘણા દર્દીઓની હાલત સારી નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે.  આજના આંકડાને ધ્યાનમાં ન લેવામાં આવે તો પણ સ્વાઈન ફ્લુનો સૌથી વધારે પ્રકોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળ્યો છે જ્યાં જાન્યુઆરી મહિનામાં આ રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૨૧૩ ઉપર પહોંચી હતી.

સ્વાઈન ફ્લૂનો આતંક...

અમદાવાદ, તા.૧૦ : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો આતંક વધી રહ્યો છે.  સ્વાઈન ફ્લુનો આતંક નીચે મુજબ છે.

સ્વાઈન ફ્લૂના કુલ કેસ.................... ૧૩૫૦થી વધુ

સ્વાઈન ફ્લૂથી મોત.............................. ૫૯થી વધુ

સારવાર હેઠળ લોકો........................... ૫૭૦થી વધુ

સ્વસ્થ થયેલા લોકો............................. ૬૫૦થી વધુ

૨૪ કલાકમાં મોત........................................... ૦૪

૨૪ કલાકમાં નવા કેસ..................................... ૭૮

બિનસત્તાવાર મોતનો આંકડો............................ ૭૪

 

 

 

(9:02 pm IST)