ગુજરાત
News of Tuesday, 10th December 2019

ઉપવાસ પર ઉતરેલ સુરતના યુવાનની તબિયત વધુ બગડી

બિન સચિવાલય પરીક્ષા વિવાદનો મામલો ગરમ : ઉપવાસ દરમિયાન સુરતના ઉમેદવાર સચિનની તબિયત લથડતાં તેને તાત્કાલિક ગાંધીનગર સિવિલમાં લઇ જવાયો

અમદાવાદ, તા.૧૦ : બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ઉપવાસ ઉપર ઉતરેલા સુરતના યુવાન સચિન સંઘાણી (..૨૮)ની તબિયત આજે લથડી હતી, જેને લઇ ફરી એકવાર બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિનો મામલો આજે ગરમાયો હતો. ઉમેદવારની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાને લઈ પરીક્ષાર્થીઓએ ગાંધીનગરમાં આંદોલન રૂ કર્યું હતું. ત્યારબાદ આંદોલનમાં કોંગ્રેસ અને અન્ય સામાજિક આગેવાનો જોડાયા હતા. પરંતુ બીજા દિવસે સરકારે સીટની રચના કરતા મોટા ભાગના આંદોલનકારીઓએ સ્થળ છોડી દીધું હતું.

               જો કે હજુ પણ સ્થળ પર અમુક પરીક્ષાર્થીઓ આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં આજે સુરતના સચીન સંઘાણી નામના ઉમેદવારની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવો પડયો હતો. જેને પગલે ફરી એકવાર બિનસચિવાલય કલાર્કની પરીક્ષાનો મામલો વિધાનસભા સત્ર ટાણે ગરમાયો હતો. અગાઉ રાજ્ય સરકારે મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ સીટની રચના કરી છે. સીટ દસ દિવસમાં તપાસ કરી રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરશે. સીટની રચનાની જાહેરાત થતા આંદોલનની પહેલ કરનાર શિક્ષક અને કર્મશીલ યુવરાજસિંહ જાડેજાએ વીડિયોના માધ્યમથી પરીક્ષાર્થીઓને આંદોલન આડકતરી રીતે સમાપ્ત કરી દેવા માટે સંકેત આપ્યો હતો.

(9:02 pm IST)