News of Tuesday, 10th December 2019
મહેસુલી-પંચાયતના તલાટીઓની કેડર એક કરાશે, કર્મચારીઓને સંતોષ છેઃ કૌશિક પટેલ
રજુઆત સંદર્ભે સરકારે ર૩ ઓગસ્ટે જવાબ આપ્યો જ છે
રાજકોટ તા. ૧૦ :.. રાજયના મહેસુલ મંત્રીશ્રી કૌશિક પટેલે મહેસુલી કર્મચારીઓની હડતાલ સંદર્ભે એવો મત વ્યકત કરેલ કે કર્મચારીઓમાં સંતોષ છે.
શ્રી કૌશિક પટેલે જણાવેલ કે મહેસુલી કર્મચારીઓના પ્રશ્નો સરકારે ઉકેલ્યા જ છે. સરકાર દ્વારા આ અંગે તા. ર૩-૮-ર૦૧૯ ના પ્રશ્નથી જવાબ આપવામાં આવ્યો છે. એક પ્રશ્ન સામાન્ય વહીવટ વિભાગને લગતો છે. હું મહેસુલ મંત્રી તરીકે તેનો નિર્ણય કરી શકુ નહિ કર્મચારીઓની માગણી મુજબ મહેસુલ અને પંચાયતના તલાટીઓની કેડર એક કરી નાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. તે અંગેની પ્રક્રિયા ચાલુ છે. સરકારની કાર્યવાહીથી કર્મચારીઓને સંતોષ છે.
(11:54 am IST)