અમદાવાદના બોડકદેવમા દલાલીના પૈસા બાબતે બે શખ્સો બાખડ્યા: સામસામે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી
અમદાવાદ:બોડકદેવમાં રહેતા એક જમીન દલાલને દલાલીના પૈસા આપવા બાબતે બે શખ્સોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ બોડકદેવમાં રહેતા અને દલાલીનો ધંધો કરતા અશોકભાઈ માળીને તેમની સોસાયટીમાં રહેતા ધવલભાઈ અને તેમના પાર્ટનર હબીબભાઈએ ધંધા માટે દુકાન બતાવવા કહ્યું હતું. આથી જજીસ બંગલો નજીક બાલાજી પ્લાઝામાં આવેલ દુકાનના માલિક બાબુભાઈ દેસાઈ અને હિતેનભાઈ દેસાઈને તેમની દુકાન ભાડે આપવાની હોવાથી અશોકભાઈએ તેમની મિટીંગ ધવલભાઈ સાથે કરાવી હતી. જેમાં સોદો થતા બન્ને પાર્ટીઓએ દલાલી દિવાળી બાદ આપશે એમ કહ્યું હતું.
દરમિયાન ૬ ડિસેમ્બરના રોજ અશોકભાઈએ હિતેન દેસાઈ અને બાબુભાઈ દેસાઈ પાસે દલાલી માંગતા તેમણે તારા રૃપિયા નહી મળે તારાથી થાય તે કરી લેજે એમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમારી પહોંચ ઉપર સુધી છે કહીને તેમણે અશોકભાઈને ગાળાગાળી કરી હતી.