ગુજરાત
News of Wednesday, 10th November 2021

અમદાવાદઃ પાંચ યુવતીને લગ્ન જળમાં ફસાવીને દુષ્કર્મ આચરનાર ઝડપાયો આરોપીની ચોથી પત્નીએ ફરિયાદ નોંધાવી

મંદિર માં ફુલહાર કરીને લગ્ન કરીને દુષ્કર્મ આચરતો લગ્નની વાત આવે તો તે યુવારીને છોડી નાશી જતો હતો

અમદાવાદ: સોલામા અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન કરી યુવતીના વાહનો અને દાગીના વેચી જલસા કરતો શખ્સ પકડાયો છે. યુવકે એક, બે નહિ પણ પાંચ યુવતીઓને પોતાની શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે. લગ્ને લગ્ને કુવારા યુવકની ચોથી પત્નીએ તેનો આ વિકૃત ચહેરો બહાર લાવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મંદિરમાં ફુલહાર કરી લગ્ન કરતો અને દુષ્કર્મ આચરી યુવતીને છોડી દેતો હતો. આ અંગે સોલા પોલીસે આરોપીની ધરપકડ કરતા બહાર આવ્યું હતું કે અગાઉ તેની સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

સોલા પોલીસે જણાવ્યા અનુસાર, 2016મા ખાનગી કપંનીમા મહિલાનો પરિચય આરોપી પ્રબજોત પંજાબી સાથે થયો હતો. યુવતીના પ્રથમ પતિ સાથે છુટાછેડા થઈ જતા 2018મા પ્રબજોતે પોતે કુવાંરો હોવાનુ કહીને યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. મંદિરમા ફુલહાર કરી લગ્ન કરીને લીવ ઈન રીલેશનશીપમા બન્ને રહેવા લાગ્યા હતા. આ દરમ્યાન એક દિકરીનો જન્મ થયો હતો. મહિલાએ પ્રબજોતને કોર્ટ મેરેજ કરવાનુ કહેતા આરોપી ઘર છોડીને ફરાર થઈ ગયો હતો અને આરોપીની અગાઉની એક પત્ની તેનો ફોટો લઈને આ મહિલાના ઘરે પહોચતા પ્રબજોતનો ભાંડો ફુટી ગયો હતો.

ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે, પ્રબજોતે પરણિત હોવા છતા કુવારો કહીને લગ્ન તો કર્યા પરંતુ પોતે શરૂ કરેલા કાફે અને લક્સુરીર્સ ગાડી વેચીને રૂપિયા ચાઉં કરી ગયો છે. આરોપીએ અગાઉ દર્શના સૈની, સંતવિન્દર કૌર, હિમાચલ પ્રદેશમા ચારૂ શર્મા સાથે લગ્ન કર્યા અને હવે શાર્મીન નામની યુવતી સાથે લગ્ન કરીને લીવ ઈનમા રહે છે.

આરોપીએ એક નહિ પરંતુ પાંચ યુવતી સાથે સંબંધના નામે વિશ્વાસઘાત કરતો હતો. સોલા પોલીસે આરોપી વિરૂધ્ધ બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હોવાનું સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે પી જાડેજાએ જણાવ્યું હતું.

સોલા પોલીસે બળાત્કારના ગુનામાં આરોપી પ્રબજોત ઉર્ફે પંકજ પંજાબીની ધરપકડ કરી છે. આરોપીએ પાંચ વાર લગ્ન કર્યા હોવાનું બહાર આવ્યું છે. તેણે એક કે બે નહિ પરંતુ પાંચ પાંચ લગ્ન કર્યા હોવાનો ઘટસ્ફોટ તેની ચોથી પત્નીએ કર્યો છે.

(9:31 pm IST)