News of Thursday, 10th October 2019
મોડીરાત્રે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ત્રણ ગામમાં ભૂકંપના આંચકા: તીવ્રતા 3.0થી વધુ
સરાપાદરા ,ખાનકોટડા અને બેરાજા ગામમાં મોડીરાત્રે 22.55 અને 23.16 વાગ્યે આંચકા અનુભવાયા
જામનગર : મોડીરાત્રે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ત્રણ ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે કાલાવડ તાલુકાના સરાપાદરા ,ખાનકોટડા અને બેરાજા ગામમાં મોડીરાત્રે 22.55 અને 23.16 વાગ્યે આંચકા અનુભવાયા છે આ ત્રણેય ગામમાં મોડીરાત્રે 22.55 અને 23.16 વાગ્યે આંચકા અનુભવાયા છે
ભૂકંપના આંચકાની તીવ્રતા 3.0 રિક્ટર સ્કેલથી વધુ નોંધાઈ છે ભૂકંપના આંચકાનું આપી સેન્ટર જામનગરથી 23 કિમિ દૂર છે
(12:24 am IST)