ઇવીએમ હટાવો દેશ બચાવો' અભિયાન સાથે દેશમાં પરિભ્રમણ કરી રહેલા ઓમકારસિંગ કરજણ પહોંચ્યા
દેશમાં યોજાતી ચૂંટણીઓ મતપત્રકથી કરાવી લોકશાહીના મુલ્યોનું જતન થવું જોઇએ
કરજણ : ઇવીએમ મશીન બંધ કરવાની માંગ સાથે ઉત્તરાખંડથી સમગ્ર ભારત દેશના પરીભ્રમણ પર નીકળેલા ઉત્તરાખંડના ઓમકારસિંઘ વડોદરાના કરજણ ખાતે આવી પહોંચ્યા હતા. અંદાજિત ૧૬૦૦ કીમી નું અંતર કાપી પદયાત્રા કરી રહેલા ઓમકારસિંઘે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી મુખ્ય માંગ દેશમાં યોજાતી ચૂંટણીઓ મતપત્રકથી કરાવી લોકશાહીના મુલ્યોનું જતન થવું જોઇએ.
વધુમાં તેઓએ ઇવીએમ મશીનમાં મતોની ચોરી થઇ જતી હોવાના પણ ઓમકારસિંઘે આક્ષેપો કર્યા હતા. ઓમકાર સિંઘનું કરજણ તાલુકાના જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભાસ્કર ભટ્ટ દ્વારા સ્વાગત કરી સમર્થન આપ્યું હતું. ઓમકારસિંઘ ઇવીએમ હટાવો દેશ બચાવોની પદયાત્રા પર ઉત્તરાખંડથી નીકળી મુંબઇ, મુંબઇથી ચેન્નઈ, ચેન્નઇથી કલકત્તા તેમજ કલકત્તાથી દિલ્હી પહોંચી પોતાની પદયાત્રાનું સમાપન કરશે.