ગુજરાત
News of Thursday, 10th October 2019

અમદાવાદ મનપામાં વ્યાપક ભ્રષ્ટ્રાચાર : લોકોને કામ કરાવવા આપવી પડે છે લાંચ

કોંગ્રેસના જમાલપુરના કોર્પોરેટર શાહ નવાજ શેખનો આરોપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે. લોકોને કામ કરાવવા લાંચ આપવી પડે છે. આ પ્રકારની ચર્ચા લોકોમાં થઇ રહી છે. ત્યારે કોંગ્રેસના જમાલપુરના કોર્પોરેટર શાહ નવાજ શેખનું માનીએ તો વર્ષ 2005થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીનું શાસન છે.

વર્ષ 2005થી અત્યાર સુધીમાં કોર્પોરેશનમાં 45 જેટલા કર્મચારીઓ કોર્પોરેશનના અધિકારીઓ એસીબીના છટકામાં આવ્યા છે. કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. લોકોને લાચ આપવી પડે છે તો જ કામ થાય છે.

(1:14 pm IST)