News of Wednesday, 9th October 2019
અમદાવાદના નારોલ-લાંભા રોડ પર બાઇકચાલકે બે જોડીયા બાળકો લવ-કુશને કચડ્યા : બંનેના કરૂણમોત
- નારોલના ખોડિયાર મંદીર નજીક અકસ્માત થતાં જ બાઈકચાલક ફરાર
અમદાવાદમાં નારોલ-લાંભા હાઈવે પર એક બાઈક ચાલકે 10 વર્ષના બે જેડિયા બાળકોને કચડી નાંખ્યાં હતા જેમાં લવ-કુશ નામના બંને બાળકોનાં મોત થયા હતા. આ ઘટના નારોલના ખોડિયાર મંદીર નજીક બની હતી. અકસ્માત થતાં જ બાઈકચાલક ફરાર થઈ ગયો.
ઘટના સ્થળે કેટલાક લોકોએ બાઈક ચાલકનો પીછો પણ કર્યો પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યોં. હતો નારોલ ગામના વળાંક પાસે ખોડિયાર મંદિર પાસે આ ઘટના બની હતી અકસ્માત થતાં જ બાળકોને એલજી હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ બાળકો બચી શક્યા નહીં. અકાળે મોતથી હોસ્પિટલમાં જ તેના પરિવારજનોએ કલ્પાંત કર્યો. લવ-કુશ નામના જોડિયા બાળકો પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા.
(12:20 am IST)