સુરતના ઉમરવાડામાં પતિથી અલગ રહેતી એક પુત્રની માતા સાથે નરાધમ અવારનવાર શારીરિક સંબંધ બાંધી લગ્ન કરવાની ના કહેતા ગુનો દાખલ
સુરત: શહેરના ઉમરવાડા વિસ્તારમાં રહેતી અને પતિથી અલગ રહેતી એક પુત્રની માતા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી તેને તારા છુટાછેડા થશે પછી હું લગ્ન કરીશ તેવી વાત કરનાર પ્રેમીએ છૂટાછેડા બાદ લગ્ન કરવા ઈન્કાર કરી દીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ સુરતના ઉમરવાડા વિસ્તારમાં માતાપિતા સાથે રહેતી 27 વર્ષીય મહિલાના લગ્ન સાત વર્ષ અગાઉ મહારાષ્ટ્રના એક યુવાન સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ તેમને પુત્ર પણ થયો હતો. જોકે, પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોય તેઓ છૂટા પડી ગયા હતા અને મહિલાએ સુરત આવી પોતાનો શાકભાજી વેચવાનો ધંધો ફરી શરૃ કર્યો હતો. દોઢ વર્ષ અગાઉ રમઝાન માસમાં તેની શાકભાજીની લારી ઉપર મોહમ્મદ શાબીર જમાલુદ્દીન શેખ (હાલ રહે. આઇ/4, રૃમ નં.16, ચોથા માળે, નવી ટેનામેન્ટ, કમિટિ હોલ પાસે, ઉમરવાડા, સુરત) શાકભાજી લેવા માટે આવતો હતો. તે સમયે બંને વચ્ચે શરૃઆતમાં મિત્રતા થઈ હતી અને બાદમાં પ્રેમ સંબંધ બંધાતા સાબીરે મહિલાને તેના છૂટાછેડા થયા બાદ લગ્ન કરવાની ખાતરી આપી હતી.