ગુજરાત
News of Wednesday, 9th October 2019

અમદાવાદના ઓઢવમાં ભાડાના મકાનમાં લિવ ઇનમાં રહેતા યુવક-યુવતીએ સમાજના ડરથી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં ભાડાના મકાનમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતા યુવત-યુવતીએ આપઘાત કર્યો હતો,  પોલીસે બંધ મકાનનો દરવાજો તોડીને જોયું તો પલંગ પર યુવતીનો મૃતદેહ હતો અને યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતદહ પાસેથી મળેલી ચિઠ્ઠીમાં પ્રેમ સબંધથી યુવકના પરિવારજનો નારાજ હતા જેથી અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. જોે કે એફેએસએલ રિપોર્ટ બાદ યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.

આ કેસની વિગત  એવી છે કે રાજસ્થાનના વતની લક્ષ્મણરામ પાબુરામ ચૌધરી (ઉ.વ.૨૧) અને મુંબઇની પુજાબહેન ૨બબનભાઇ તરકેસ ( ઉ.વ.૨૩) ૧૫ દિવસ પહેલાં જ  ઓઢવમાં છોટાલાલની ચાલી સામે આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં ભાડે રહેવા આવ્યા હતા.  બંધ મકાનમાં ભયંકર દુર્ગંધ મારતી હોવાથી પડોશીએ પોલીસ કન્ટ્રોલમાં જાણ કરી હતી. જેને લઇને ઓઢવ પોલીસે  ત્યાં જઇનેે મકાનનો દરવાજો તોડીને અંદર તપાસ કરી તો બેડ રૃમમાં પલંગ પર યુવતીનો મૃતદેહ પડેલો હતો જ્યારે યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ  જોઇને પોલીસે પણ ચોંકી ઉઠી હતી.

(5:34 pm IST)