ગુજરાત
News of Wednesday, 9th October 2019

ગેહલોતે દારૂ પી નિવેદન આપ્યું

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો વળતો પ્રહાર

ગાંધીનગર, તા. ૯ : ગુજરાતમાં દારૂબંધી મુદ્દે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે વિવાદિત નિવેદનકરીને ગુજરાતના રાજકારણમાં કાંકરીચાળો કરતા રાજકીય માહોલ ગરમાયો છે, તો આ મામલે ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવી ગયા છે, ત્યારે ગુજરાતના ગૃહમંત્રી પણ હવે મેદાનમાં આવી ગયા છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અશોક ગેહલોતે આપેલું નિવેદન દારૂ પીને આપ્યું હોવાનું કહીને વિવાદને વેગ આપ્યો છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દારૂબંધી મામલે થયેલા વિવાદમાં નિવેદન આપતા કહ્યું હતું કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂબંધી મુદે-ટિપ્પણી કરતી વખતે દારૂ પીધો હશે, તેમણે દારૂ પીને દારૂબંધીનું નિવેદન આપ્યું છે, એટલે જ તેમાં અભ્યાસનો અભાવ દેખાય છે.

(11:32 am IST)