News of Wednesday, 10th October 2018
અમદાવાદના ભદ્રકાળી મંદિરે ભાવિકોનો ધસારો ;વૈદિક મંત્રોચાર સાથે ઘટસ્થાપન
નગરદેવી મંદિરે મોટીસંખ્યામાં ભક્તો ઉમટયા :વિશેષ આરાધના-ઉપાસના :રાત્રે ગરબા
અમદાવાદના ભદ્ર વિસ્તારમાં નગરદેવી ભદ્રકાળી મંદિરે પણ ભક્તોનો ધસારો જોવાઈ રહયો છે મોટી સંખ્યામાં માઈભક્તો નગરદેવીના દર્શન કરવા મંદિરે પહોંચ્યા છે મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપનની વિધિ થઈ હતી તેમજ ભક્તોએ ભદ્રકાળી માતાની જય બોલાવી હતી.
નવરાત્રિના નવ દિવસ દરમિયાન શહેરના નગરદેવી એવા ભદ્રકાળી માતાની વિશેષ આરાધના, ઉપાસના કરવામાં આવી રહી છે. રોજ રાત્રે ગરબાનું આયોજન થયુ છે નવદિવસ દરમિયાન વિશેષ ભોગ પણ ધરાવવામાં આવી રહ્યા છે.
(9:49 pm IST)