News of Wednesday, 10th October 2018
ગાંધીનગર નજીક સરઢવમાં સરપંચ અને તલાટી વિરુદ્ધ 4.28 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ
ગાંધીનગર: શહેર નજીક આવેલા સરઢવ ગ્રામ પંચાયતમાં તત્કાલીન સરપંચ અને તલાટી કમ મંત્રી સામે ૪.ર૮ લાખની ઉચાપત અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે અનુસંધાને આ બન્ને આરોપીઓ દ્વારા ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકવામાં આવી હતી.
કોર્ટે પણ આ બાબતને ગંભીર ગણીને બન્ને આરોપીઓે પાસેથી ઉચાપતની રકમ તાત્કાલિક અસરથી જમા કરાવીને આગોતરા જામીન મંજુર કર્યા હતા.
આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે શહેર નજીક આવેલા સરઢવ ગામની પંચાયતમાં જ્યારે સરપંચ તરીકે મનુભાઈ રતિલાલ પટેલ અને તલાટી કમ મંત્રી તરીકે રમેશભાઈ ગણપતભાઈ પ્રજાપતિ હતા તે સમયે આ બન્ને આરોપીઓએ મીલીભગત કરીને પંચાયતમાંથી ૪૨૮૭૮૪ રૃપિયાની ઉચાપત કરી હતી.
(5:11 pm IST)