ગુજરાત
News of Wednesday, 10th October 2018

રાજ્યના 4 શહેરોમાં રિયૂઝ વોટર પ્લાન્ટ સ્થપાશે: ઉદ્યોગોને 25 રૂપિયામાં મળશે 1000 લીટર પાણી

અમદાવાદ :ગુજરાતમાં ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાયા બાદ ગંદા બનેલા પાણીને અત્યારે ખુલ્લી જગ્યામાં કે નદીમાં વહેવડાવી દેવામાં આવે છે. ગંદા પાણીને ફરી વાપરવા યોગ્ય બનાવવા ગાંધીનગર, જામનગર, વડોદરા અને સુરતમાં રિયુઝ વોટર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લેવાયો છે

  હાલમાં ઉદ્યોગોને પ્રતિ 1000 લીટર 36ના ભાવે પાણી આપવામાં આવે છે. ટ્રીટેડ વોટર પ્રતિ 1000 લીટર 25ના ભાવે અપાશે.

(12:42 pm IST)