ગુજરાત
News of Wednesday, 10th October 2018

રાજ્યમાં પાણીપુરી અને ભેલપકોડીની લારીઓ અચાનક ઓછી થઇ ગઈ

પરપ્રાંતીયો પર હુમલા બાદ ઉત્તર ભારતીયો દહેશતનો માહોલ

 

સાંબરકાંઠાના ઢુંઢરમાં બનેલી રેપની ઘટના બાદની પરિસ્થિતિને પગલે ઉત્તર ભારતીયોના  ગુજરાત છોડવા મજબૂર બન્યાં છે. ગુજરાતના દરેક શહેર-ગામમાં વસતા પરપ્રાંતીયોમાં કારણે દહેશત ફેલાયો છે. જેની સીધી અસર ગુજરાતના વેપાર-ધંધા પર પડી છે. ડરને પગલે ખાણીપીણીની લારી ચલાવીને ગુજરાન કરતા ઉત્તર ભારતીયો રાતોરાત ગાયબ થઈ ગયા છે. પાણીપુરી અને ભેલપકોડીની લારીઓ પણ રાતોરાત ગાયબ થઈ ગઈ છે.

(10:28 pm IST)