News of Monday, 10th September 2018
અખબારોના અસ્તિત્વને ટકાવવા આજે બેઠક થશે
સર્કિટ હાઉસમાં બેઠક યોજાશે
અમદાવાદ, તા.૧૦: સર્કિટ હાઉસ ગાંધીનગરમાં આવતીકાલે અખબારોના અસ્તિત્વને ટકાવવાના સંદર્ભમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. આ મહત્વની બેઠકમાં હાજરી આપવા તમામ તંત્રીઓને અપીલ કરવામં આવી છે. આ બેઠક આવતીકાલે બપોરે ૩ વાગે યોજાશે. અખબારોને લગતા પ્રશ્નો જેવા કે રિન્યુઅલ, વિજ્ઞાપનની સંખ્યા, ભાવ વધારો અનેક વિધ પ્રશ્નોમાં થતાં અન્યાય સામે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાંઆવશે. અન્ય મુદ્દાઓ પણ છવાશે.
(10:11 pm IST)