News of Monday, 10th September 2018
નળસરોવરમા પક્ષીઓના શિકારનું વધુ એક કૌભાંડ ખુલ્યું :એક શખ્શની ધરપકડ :ત્રણ ફરાર
આરોપી પાસેથી 40 પક્ષીઓ મળ્યા : 27 પક્ષીઓ મૃત હતા. અને 13 પક્ષીઓ જીવીત મળ્યા :પાંચ શખ્શો બાઈક પર શિકાર કરવા આવ્યા હતા
અમદાવાદ :નળસરોવરમાં પક્ષીઓના શિકારનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. વન વિભાગની ટીમે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જોકે ત્રણ વ્યક્તિએ ફરાર થવામાં સફળ રહ્યા હતા. આરોપી પાસેથી 40 પક્ષીઓ મળી આવ્યા હતા. જેમાં 27 પક્ષીઓ મૃત હતા. અને 13 પક્ષીઓ જીવીત મળ્યા હતા. ફોરેસ્ટ વિભાગને બાતમી મળી હતી કે 5 સભ્યો શિકાર કરવા બાઈક પર આવ્યા છે. જેની બાતમીના આધારે ઓપરેશન હાથ ધરાયુ હતુ.
(8:07 pm IST)