ગુજરાત
News of Monday, 10th September 2018

હાર્દિક પટેલના ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણયથી લલિત વસોયા નારાજ;કહ્યું પારણાં કરવા જોઈએ

કોંગ્રેસના ધારાસભ્ય અને PAASના પૂર્વ કન્વીનર લલિત વસોયા હાર્દિક પટેલથી  નારાજ છે. પાટણથી રેલીમાં જોડાયેલા તમામ લોકોને એવી ઇચ્છા છે કે, હાર્દિક પારણા કરી લે. હાર્દિકના સમર્થનમાં આજે નીકળેલી સદભાવના રેલીમાં જોડાયેલા લલિત વસોયાએ કહ્યું હતું કે, હું હાર્દિકના ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણયથી વ્યક્તિગત રીતે નારાજ છું. લલિત વસોયાએ કહ્યું હતું કે, હાર્દિકે જલદી પારણા કરી લેવા જોઈએ.

(6:05 pm IST)