ગુજરાત
News of Monday, 10th August 2020

વિરમગામ તાલુકામાં સગર્ભા માતાઓના ઘરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા

વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા (વિરમગામ) :અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આઇસીડીએસ વિભાગ દ્વારા સગર્ભા માતાઓના ઘરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સગર્ભા માતાના ઘરની મુલાકાત લઇ ફળનો છોડ આપવામાં આવ્યો અને તેનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિરમગામના તાલુકા વિકાસ અધિકારી ડી.એન ચારણ, લક્ષ્મણભાઈ મોરી, વિરમગામ - માંડલ સી.ડી.પી.ઓ મીતાબેન જાની સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સગર્ભા માતાઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

(8:53 pm IST)