News of Friday, 10th August 2018
કઠલાલ પોલીસે ખોખરવાડામાં ગોંધી રાખેલ 24 પશુઓને કતલખાને લઇ જતા બચાવ્યા
કઠલાલ:લીસે ખોખરવાડા ગામેથી આજે બપોરે ક્રૂરતાપૂર્વક રખાયેલા ૨૪ મૂંગા પશુઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે આરોપી ફરાર થઈ ગયો હતો.
કઠલાલ પોલીસને મળેલ માહિતી આધારે ખોખરવાડામાં રહેતા ઈરશાદઅલી અનવરઅલી રાઠોડના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમ્યાન ઘર પાછળ વાડામાં ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલી ૧૪ ભેંસો, ૭ પાડી તેમજ ૩ પાડા મળી આવ્યા હતા. આ પશુઓ માટે ઘાસચારા કે પાણીની પણ સુવિધા ન હતી. આમ કઠલાલ પોલીસે રૂ. ૧,૯૨,૫૦૦ના પશુઓને કતલ કરવાના ઈરાદે રખાયેલા પશુઓને બચાવી લીધા હતા. જ્યારે ઈરશાદઅલી રાઠોડ પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે કઠલાલ પોલીસે ગુનો નોંધી ફરાર થઈ ગયેલા શખ્સને ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે.
(5:04 pm IST)