ગુજરાત
News of Friday, 10th August 2018

આણંદના નાપાડમાં ઉછીના પૈસાની બાબતે અસ્ત્રાથી જીવલેણ હુમલો કરનાર વિરુદ્ધ ફરિયાદ

આણંદ: તાલુકાના નાપાડ ખાતે ગઈકાલે સાંજના સુમારે ઉછીના આપેલા બે લાખ રૂપિયા લેવા માટે બોલાવીને અસ્ત્રાથી હુમલો કરીને ચારેક જેટલા શખ્સો કારમાં ફરાર થઈ જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસા નાપાડ ગામના જુની મેડી વિસ્તારમાં રહેતા રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ નુરમહંમદભાઈ રાઠોડે મિત્ર સિકંદરખાન ઈકબાલખાન રાઠોડના મામા દિલીપસિંહ ખુમાનસિંહ રાજ (રે. આંકલાવ)ને બે લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. ત્યારબાદ ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ તેઓ બે લાખ રૂપિયા પરત આપતા નહોતા જેથી રાજેન્દ્રકુમાર દ્વારા ઉઘરાણી કરતાં દિલીપસિંહ બુધવારે સાંજે પૈસા લેવા માટે નાપાડ સ્થિત જોશનપુરા ખાતે બોલાવ્યા હતા. 
જેથી રાજેન્દ્રકુમાર ત્યાં જતા દિલીપસિંહ તેમજ તેમની સાથેના અન્ય ચાર શખ્સોએ બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને અસ્ત્રાથી હુમલો કરીને કારમાં બેસી ફેરાર થઈ ગયા હતા.

(5:03 pm IST)